ગણિત-વિજ્ઞાન મેળો
શ્રી નાથજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત
બાલાનંદ વિદ્યાલય, સુરત
ગણિત તથા વિજ્ઞાનના અટપટા સિદ્ધાંતો પણ તેમના મોડેલ દ્વારા સરળતાથી સમજી શકાય છે. બાલાનંદ વિદ્યાલયના ઉત્સાહી અને મેહનાતું બાળકો દ્વારા બનાવાયેલા આવા ઉત્કૃષ્ટ મોડેલોને સરાહના આપવા તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહ માં વધારો કરવા શાળા પરિવાર વતી ગણિત-વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અવનવા મોડેલ બનાવનારા વિદ્યાર્થીઓમાં તો ઉત્સાહ હતોજ, પણ મેળામાં આવનારા અન્ય વિદ્યાર્થીઓમાં પણ શીખવાનો અજબ ઉત્સાહ હતો. શિક્ષકો અને સહાયક વિદ્યાર્થી ગણ ના સહયોગ થી સફળ બનેલા આ કાર્યક્રમ માટે શાળા પરિવાર દરેકની પ્રશંશા કરે છે.




No comments:
Post a Comment